🚨 અંકલેશ્વર નજીક ગોઝારો અકસ્માત: રસ્તો ક્રોસ કરતાં પોલીસકર્મીનું વાહનની ટક્કરે મોત
અંકલેશ્વર નજીક ઇજાગ્રસ્ત કૂતરાને સારવાર માટે એમ્બ્યુલન્સમાં મુકી રોડ ક્રોસ કરતા પોલીસ કર્મચારીનું વાહનની ટક્કરે મોત થયું હતું.
માહિતી મુજબ, જેઓ દાંતીવાડા તાલુકાના ડાંગીયા (ઉત્તમપુરા) ગામના વતની હતા, તે અરવિંદભાઈ અવયનલાભાઈ ચૌધરી અંકલેશ્વર શહેર બિલ્ડિંગ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હતા.
અરવિંદભાઈએ ઇજાગ્રસ્ત કૂતરાને એનિમલ એમ્બ્યુલન્સ બોલાવીને સારવાર માટે મોકલ્યું હતું. ત્યારબાદ જ્યારે તેઓ રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી. અકસ્માત બાદ તેમને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત દરમિયાન અરવિંદભાઈને ગંભીર ઇજા થતા તેમનું મોત થયું હતું. આ દુર્ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર પોલીસ વિભાગમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
ફરજ દરમિયાન જાન ગુમાવનાર આ નિષ્ઠાવાન પોલીસકર્મી પ્રત્યે સહકર્મીઓએ શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી છે. પોલીસે અકસ્માત સર્જનાર વાહનચાલક વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.

0 ટિપ્પણીઓ